૫૦ દીક્ષાર્થીઓનાં વરઘોડો નાં દર્શન કરતાં રચાયેલ ગઝલ
હું હવે મુજને કદી મળતો નથી.
શોધતાં યે હું હવે જડતો નથી !
ખુદને જોતાં તો હવે લાગે મને
મારા દિલમાં ઈશ કાં વસતો નથી?
કાચની થોડી લખોટી હો, તો બસ
નવલખા હીરામાં, હું ભમતો નથી.
બસ પરમને પામવું મુજને હવે.
મોહ કે માયા થકી ડગતો નથી.
આંખ હું બીડું ને બસ, પામું તને
તેથી તો ચેતન હવે ખપતો નથી.
હંમેશ મુજબ આપનાં અભિપ્રાય અમૂલ્ય છે...
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
શોધતાં યે હું હવે જડતો નથી !
ખુદને જોતાં તો હવે લાગે મને
મારા દિલમાં ઈશ કાં વસતો નથી?
કાચની થોડી લખોટી હો, તો બસ
નવલખા હીરામાં, હું ભમતો નથી.
બસ પરમને પામવું મુજને હવે.
મોહ કે માયા થકી ડગતો નથી.
આંખ હું બીડું ને બસ, પામું તને
તેથી તો ચેતન હવે ખપતો નથી.
હંમેશ મુજબ આપનાં અભિપ્રાય અમૂલ્ય છે...
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા