Tuesday, August 22, 2006

આજ ની જરૂરત છે નવસર્જન ની... એક ગઝલ ....

લાક્ડાનાં વ્હેરમાંથી, કો' નવું સર્જન કરો.
ઝેર જેવા ઝેર માંથી, કો' નવું સર્જન કરો....

ઊગતા ને ડૂબતા આ, સૂર્યની માફક તમે;
તૂટતી સૌ લ્હેરમાંથી, કો' નવું સર્જન કરો....
આંસુઓને ખાળવા માટે ઘણા યત્નો કર્યા.
આંસુઓની સેરમાંથી ,કો' નવું સર્જન કરો....

પ્રેમ ને ચેતન વગર છે લાશ જેવી જીંદગી !
લાશના આ ઢેરમાંથી, કો' નવું સર્જન કરો....

આપનાં કિમતી અભિપ્રાય આપશો...
જય ગુર્જરી.
ચેતન ફ્રેમવાલા...

0 Comments:

Post a Comment

<< Home