Sunday, July 23, 2006

મુંબઈ ની જીંદગી પર શ્રી કૈલાસ પંડિત ની એક ગઝલ.

આખો દિવસ જે શેઠને મોટરમાં લઇ ફર્યો,
રાતે બિચારો ટ્રેનમાં લટકી ઘરે ગયો .

ખનકે છે જેના ખોબલે સૂરજનું પાંચિયું,
ચગળ્યા કરે છે હોઠમાં રસ્તાના સિગ્નલો.

અંધારાં ઉંચકી આંખમાં જાશે પછી ઘરે
,હમણાં ઉપાડી ભૂખને, ભટકે છે ફેરિયો.

ચગળી રહી'તી પાનમાં મુન્ની અતિતને,
રમતો ગલીથી નીકળ્યો ત્યાં એક છોકરો.

ચઢતા સૂરજને પૂજવાની વાત ઠીક છે,
હાંફી રહેલા અશ્વને પાણી તો પ્હેલાં દો.

જય ગુર્જરી,ચેતન ફ્રેમવાલા..

0 Comments:

Post a Comment

<< Home