Saturday, July 15, 2006

અમન માટે એક વિંનંતી,

અમન માટે એક વિંનંતી, સૌ કોમ ના ભાઈચારા થી જ આપણે આતંક નો સામનો કરી શકશું.ગોધરા પછી
લખાયેલ એક રચના રજુ કરૂં છું.

આંખોમાં તો કરૂણા ભરી છે, હો મહાવીર કે મહમદ પયગંબરની,
નાત - જાતના ,ભેદ શાને છે,જરૂર શી ધર્મ તણા આડંબર ની,

સાષ્ટાંગ હું પડતો મંદીર માં, ને નમાઝ માં તું નમતો મસ્જીદમાં,
રામ મારો સચરાચર છે,ને અલ્લાહ પણ્ર હર કણ માં હાજર છે,
ભેદ ક્યાં છે કશો, હવે તો પૂરો,ખાઈ તારા-મારા અંતર ની..

સૂર્ય ને પૂજી શાંત થયો હું,
ઈદ ની ચાંદની માં રોષને ઠારી દે તું,
બીલ્લી તાક માં બેઠી છે,
આપણી હાલત થાશે ઊંદર શી...

નોટ માટે વહેંચાયો તું,
ને વોટ ના દલદલ માં અટવાયો હું,
ભ્રસ્ટ નેતા થી છૂટવા,
જરૂર છે એક્તાના મંતર ની.....

છતે 'ચેતન' કાં સૌ જડ થયા છે,
હજી શાંતીદૂતો ઊડી રહ્યા છે,
છોડી જાત-પાત ના ઝગડા,
કોશિશ સૌ કરી રહ્યા છે.
મળશે કૃપા દ્રષ્ટી બંન્ને , મહાવીર ને મહમદ પયગંબર ની
આંખોમાં તો કરૂણા ભરી છે, હો મહાવીર કે મહમદ પયગંબરની,

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

0 Comments:

Post a Comment

<< Home