આંધળું ના દોડ..... તું.
ત્યારે... કોઈ સારી-સભાન શ્રણે જન્મેલી એક ગઝલ...
આંધળું ના દોડ તું,
આંબવાનું છોડ તું..
કાં દિવાલોમાં ફસે?
દિલની બારી, ખોલ તું..
લાગણી લક્ષ્મી વળે?
પ્રેમથી કર જોડ તું..
રોજ કડવા વેણ કાં?
શબ્દ મીઠાં બોલ તું..
કાં દિશા સો સો ફરે ?
મનને પાછો મોડ તું..
કેવી જૂઠી જીંદગી!
સત્યને ઢંઢોળ તું...
તરસે; વલખે જીંદગી.
ઝાંઝવા ફંફોળ તું...
પાયણાં પુજતો નહીં,
કરજે મનુનાં મોલ તું...
જડ મહીં, ચેતન હશે!
શોધ, એને શોધ તું....
આપનાં કિમતી અભિપ્રાય જરૂર આપશો...જય ગુર્જરી,ચેતન ફ્રેમવાલા